Nibandh Gujarati

Knowledge of Gujarati....

ગુરુવાર, 13 જુલાઈ, 2023

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી : Anavrushti Nibandh Gujarati

નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Nibandh Gujarati માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં 'અનાવૃષ્ટિ (દુકાળ) ગુજરાતી નિબંધ' ( Anavrushti Nibandh in Gujarati ) આપવામાં આવેલ છે.

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી : Anavrushti Nibandh Gujarati
અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી


આવા જ અન્ય Gujarati Nibandh કે જે ધોરણ 10, ધોરણ 12, UPSC, GPSC Mains માં પૂછાઇ શકે તેવા ગુજરાતીમાં નિબંધો માટે Nibandh Gujarati ની મુલાકાત અવશ્ય લેવી.

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી : Anavrushti Nibandh Gujarati

અહીં ગુજરાતી અનાવૃષ્ટિ (દુકાળ) વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
અનાવૃષ્ટિ (દુકાળ) વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી

  • પ્રસ્તાવના
  • દુષ્કાળનું વર્ણન
  • દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ
  • ઉપસંહાર

ભારત ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશની ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. સમયસર અને પ્રમાણસર વરસાદ થાય, તો અનાજનું સંતોષકારક ઉત્પાદન થાય છે. પરંતુ ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ પણ આવી પડે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ખેતરોમાં પાણી ફરી વળે છે. તેથી પાક ધોવાઇ જાય છે. પણ ક્યારેક જરૂરિયાત કરતાં ઘણો ઓછો વરસાદ પડે છે. આવી સ્થિતિને ‘અનાવૃષ્ટિ’ કે ‘દુષ્કાળ’ કહે છે.

પાણીના અભાવે ખેતરોમાં અનાજ પાકી શકતું નથી. ઘાસચારો પણ થતો નથી. જળાશયોનાં પાણી ઘણાં ઊંડાં જતાં રહે છે અથવા સુકાઈ જાય છે. પરિણામે અનાજ, ધાસચારો અને પીવાના પાણીની ગંભીર તંગી સર્જાય છે. ખેતી અને પશુપાલન ઉપર આધારિત ખેડૂતો લાચાર થઈ જાય છે.

અનાજ અને ઘાસચારાના ભાવો આસમાને પહોંચી જાય છે. ગરીબ ખેડૂતો દેવાદાર થઈ જાય છે. ખાવા માટે પુરતો ઘાસચારો ન મળવાથી પશુઓ હરતાંફરતાં હાડપિંજર જેવાં બની જાય છે. ઘાસચારા વિના સેંકડો ઢોર મરણ પામે છે. અપૂરતા પોષણને લીધે દૂધાળાં ઢોર દૂધ આપી શકતાં નથી. તેથી ઘી-દૂધની પણ અછત વરતાય છે. કેટલાંક ગામો અને શહેરોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની જાય છે. લોકોના જીવનમાંથી જાણે રસક્સ જ ઊડી જાય છે.

પહેલાંના વખતમાં દુષ્કાળ પડતો ત્યારે લોકોના જીવન પર તેની ભયંકર અસરો પડતી હતી. છપ્પનિયા કાળમાં હજારો માણસો અને પશુઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. હવે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોને અનાજ અને ઘાસચારો પહોંચાડે છે.

ગામેગામ લોકોને ટેંકરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર રાહત કામો શરૂ કરે છે. તેને લીધે લોકો ઘરઆંગણે જ રોજીરોટી મેળવી શકે છે. ઢોર માટે ઢોરવાડા ચલાવવામાં આવે છે.

"દુષ્કાળ આપણને માનવીની અવદશા અને માનવીની માનવતા બંનેનાં દર્શન કરાવે છે."


Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અનાવૃષ્ટિ (દુકાળ) નિબંધ ગુજરાતી એટલે કે Anavrushti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો